- Sunday
- May 19, 2013
Ravi Purti Top Story
|
|
જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્રMay 19 at 12:00amહિંદુ ધર્મમાં મુખ્ય દશાવતાર પ્રસિદ્ધ છે. આ દશ અવતારમાં મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, જામદગ્ન્ય પરશુરામ, દાશરથિ રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ મહત્ત્વના છે. ભાગવત પુરાણ પછી અવતારોને મર્યાદિત કરવાની પરંપરા શરૃ થઈ અને ઈ.સ.ની નવમી સદીમાં દશાવતારની કલ્પના સ્થિર થાય છે.
આ અવતારનું મહત્ત્વ શું ? અને અવતારની પાછળનો ભાવ શું ? એ વિષયમાં જ્ઞાાનયોગી શ્રી ચંદુભાઈએ માર્મિક અને અર્થપૂર્ણ વિવેચન કર્યું છે. તેઓ કહે છે, '
|
|
|
અધુરો આશ્રમMay 19 at 12:00am''મને કાઢો નહિ !! મને અહીં પડી રેહવા દો !! મને કાઢો નહિ...''
આક્રંદના પોકારો સાંભળીને સરોજ ઓફિસની બહાર આવી ગઈ. પાછળ પાછળ આશ્રમના કર્મચારીઓ પણ આવી ગયા.
''કોણ છે ? કોણ બૂમો પાડી રહ્યું છે ?'' સરોજે પૂછ્યું.
''જવા દો ને બેન ? એ બાઈ બહુ જીદ્દી છે. માનતી જ નથી.' હીરાભાઈએ કહ્યું.
''પણ વાત શું છે ?'' સરોજે પૂછ્યું.
હીરાભાઈએ કહ્યું, ''સરોજબેન ગતમે તો અહીં પહેલીવાર આવ્યા. પણ આપણા આશ્રમ માટે આ રોજનું થયું !''
|
|
|
સ્પાર્ક - વત્સલ વસાણીMay 19 at 12:00amએક જૈન સાધુએ રાત્રે ઊંઘમાં એક સ્વપ્ન જોયું.
સ્વપ્નની એક ખાસિયત હોય છે કે વ્યક્તિ દિવસ દરમિયાન જેના જેના વિચાર કરે, જેની પ્રાપ્તિ માટે મનમાં ઝંખના કરે, જેની વાસના સ્વયંના રોમેરોમમાં વ્યાપ્ત હોય તેના જ સ્વપ્ન આવે છે. વ્યક્તિની અધૂરી વાસનાને પૂર્ણ કરવાનું સ્વપ્ન એક સાધન છે. અને સાધુની તો એક જ ઝંખના હોય છે. કેવી રીતે મોક્ષ મળે? એક માત્ર મોક્ષની વાસના તો એને સંસારનો ત્યાગ કરવા માટે તૈયાર કરે છે. એ માટે એ સંન્યાસ લે છે. મુનિવેશ ધારણ કરીને કઠિન તપશ્ચર્યા કરે છે.
|
|
|
જીવનના હકારની કવિતા - અંકિત ત્રિવેદીMay 19 at 12:00amગુજરાતી કવિતાને 'મકરંદ' નામ ફળ્યું છે. 'દવે'થી 'મુસળે' સુધીની આ યાત્રા છે... એક ગેરુઆ રંગના કવિ, બીજા ગઝલના સંગના કવિ... જન્મે મરાઠી મકરંદ મુસળે બાવીસ વર્ષે એનો પોતાનો કાવ્યસંગ્રહ 'માણસ તોયે મળવા જેવો' આપે છે... ગુજરાતી ગઝલના નવા અવાજોમાં નોંધપાત્ર અને ગઝલને આગળ લઈ જવાનું કામ મકરંદ મુસળેનું છે. જન્મે મરાઠી આ સવાયો ગુજરાતી એની ગઝલમાં ખુમારી અને તટસ્થતા સેવે છે... રફ્ફુ કામ વગરનો એનો શબ્દ છે - છંદ છે...
'જીવનના હકારની કવિતા' માણસને પ્રેમ કરવા માટે લખાયેલી.... માણસના પ્રેમમાં પડી જવા માટે
|
|
|
પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈMay 19 at 12:00amઆ તે કેવું પરમ આશ્ચર્ય કહેવાય કે એક સમાજ પોતાની આખી જાતિને જ ભૂલી જાય? પોતાના જ ધર્મબંધુઓને સમૂળગા વીસરી જાય?
ઇતિહાસમાં ક્વચિત્ એવું બને છે કે કોઈ ઘટના અભ્યાસીની નજરે ચડી ન હોય તેથી એની નોંધ લેવાતી નથી. એવું પણ બને છે કે અતીતની કોઈ વિભૂતિ ઉપેક્ષા કે અવગણનાને કારણે વિસરાઈ ગઈ હોય, પરંતુ આખેઆખી જાતિ જ વિસ્મૃતિના ઘોર અંધકારમાં ઓગળી જાય, એવું બને ખરું? એના સંસ્કારો સચવાઈ રહ્યા હોય, પરંતુ એ સમાજની મુખ્ય ધારાથી એટલા બધા અળગા થઈ ગયા હોય કે એમની કશી નોંધ પણ ન લેવાય? એમને સર્વથા ભૂલી જવાય?
|
|
|
ઝાકળઝંઝા - પરાજિત પટેલMay 19 at 12:00am'હેં? મતાદાર આયો સે? મૂઓ રાખ્ખસ!'
મોહન મતાદારના બરાડા અને ધમકીભર્યા ગંદા શબ્દો સાંભળીને આસપાસના લોકો ઘરમાંથી બહાર આવી ગયા. જોયું તો મતાદાર કાળઝાળ થઈને માસ્તરને ભાંડી રહ્યો છે! કોઈએ એને 'રાક્ષસ' કહ્યો, તો કોઈએ તેને 'કાળમુખો' કહ્યો. આમેય મોહન મતાદારની છાપ સારી નહોતી. એમાંય પાછી 'છાંટો પાણી' કરી લેવાની ટેવ! એમાંય પાછો સરપંચનો જમણો હાથ! શીશમમાંથી કંડાર્યો હોય એવો શ્યામ દેહ, રાતીચોળ આંખો ને બોલતી વખતે મોઢામાંથી છુટતા છાંટા. સંધાય કાળા ધંધા એના ખાતામાં. ગામમાં સવાયો સરપંચ થઈને ફરે. કાળો વર્ણ, ને કાળાં
|
|
|
આજકાલ - પ્રીતિ શાહMay 19 at 12:00amઝારખંડના ડુમકા આદિવાસી વિસ્તારમાં આવેલા પહરપુર નામના ગામડામાં ભાંગીતૂટી ઝૂંપડીમાં રહેતી આદિવાસી મહિલા સુશીલા મુરમુની આંખમાં આંસુ આવી ગયા. આજથી ચારેક વર્ષ પહેલાં એમણે જોયું કે ખેતીમાં ભારે નુકસાન થવાથી ગામડાંના લોકો આજીવિકા માટે બીજા રાજ્યમાં જઈ રહ્યા હતા. સુશીલા એ આ ગામડાની સ્કુલમાં શિક્ષણ લેનારી પહેલી છોકરી હતી અને એના શિક્ષણે આ સાંથાલ યુવતીમાં આત્મવિશ્વાસ જગાડયો હતો. એણે ગ્રામજનોને એમની ખેતીની પધ્ધતિ બદલવા કહ્યું. એમનું ભવિષ્ય સુખી થશે એવી વાત પણ કરી. પણ એની વાત સાંભળે કોણ?
|
|
|
ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાયMay 19 at 12:00amસુપ્રીમ કોર્ટે ભલે પોતાના તારણમાં એમ કહ્યું હોય કે સીબીઆઇ એ સરકારના પિંજરામાં પકડાયેલા પોપટ સમાન છે પરંતુ હકીકત એ છે કે સરકારના પિંજરામાં બે પોપટ છે. એક છે સીબીઆઇ તો બીજા છે વડાપ્રધાન મનમોહન સિંહ!!
સરકારમાં જે કંઇ સારું થાય છે તે ગાંધી પરિવારના કારણે થાય છે અને જે કોઇ કૌભાંડ થાય છે તે માટે વડાપ્રધાન મનમોહન સિંહ જવાબદાર છે એમ દર્શાવવામાં આવે છે. જો કર્ણાટકમાં સરકારની નીતિઓની જીત હોય તો વડાપ્રધાન મનમોહનના વડપણ હેઠળની સરકારની પ્રશંસા થવી જોઇએ પણ કોઇના મોઢે તેમનું નામ નથી આવતું.
|
|
|
નેટોલોજી - ઈ-ગુરુMay 19 at 12:00amજે મહિલાઓને 'ખાંડવી' બનાવતા ના આવડતી હોય તે ઈન્ટરનેટ પર યુ ટયુબ પર જોઈને તે બનાવી શકે એવી આસાન રીત આપવામાં આવી હોય છે. 'ખાંડવી'ને પાટુડી પણ કહે છે. યુ ટયુબ પર આવી વિવિધ વાનગી બનાવવાના વીડીયો મુકાયા છે. ૫૨ વર્ષની એક ગૃહિણીએ 'ગુલાબ જલ' તૈયાર કરવાની રીત બતાવી હતી. તેમના પુત્રએ હેન્ડીકેમ કેમેરાથી તે શૂટ કર્યું હતું. ગુલાબ જલ બનાવવાની આસાન રીત અનેક લોકોએ યુ ટયુબ પર જોઈ હતી. કેટલીક મહિલાઓ તેમને આવડતી આઈટમોના વીડીયો વારંવાર યુ ટયુબ પર મૂકે છે. એક મહિલાએ પ્રેશર કુકરમાં
|
|
|
રાજકીય ગ૫સપMay 19 at 12:00amપવનકુમાર બંસલને રેલવે પ્રધાન પદેથી બહુ ભારે હૈયે ખસેડાયા છે. ભાણાના કારણે મામાની આબરૃ ગઈ છે પવનકુમારની ક્લીન ઇમેજના કારણે તે જાણીતા હતા. બંસલ ફસાય એ વાત માનવા કોઈ તૈયાર નહોતું પરંતુ જે રીતે રોકડ પકડાઈ અને જે રીતે સીબીઆઇએ ગાળિયો ટાઇટ કર્યા તે જોઈને સરકાર મૂંઝાઈ હતી. સરકારે તેના એક વફાદાર સાથીને ગુમાવ્યો છે. આમ પણ બંસલની લોકસભાની ચંડીગઢ ખાતેની બેઠક પર બે પ્રધાનોની નજર હતી કોંગ્રેસ માટે આ બેઠક ગઢ
|
Ravi Purti News for May, 2013
-
NATIONAL
-
INTERNATIONAL



















